આચાર્ય શ્રી વિજય રામચન્દ્રસૂરીજી મહારાજ

ભગવાન શ્રી મહાવીર સ્વામીની 77મી પાટે આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિમહારાજના શિષ્ય આચાર્ય શ્રી વિજય રામચન્દ્રસૂરિ મહારાજ થયા. ૧૭ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરનાર આ જૈનાચાર્યે દીક્ષા જીવનનાં ૭૯ વર્ષ સુધી ભારતમાં વિચરી કોઈ પણ જાતના સ્વાર્થ વિના સદ્ધર્મનો પ્રચાર કર્યો. ભગવાન શ્રી મહાવીર સ્વામીથી અત્યાર સુધીના ઉપલબ્ધ ઈતિહાસ મુજબ આટલો સંયમ પર્યાય, આચાર્ય પદ પર્યાય ધરાવવાની અપેક્ષાએ તેઓશ્રી

છટ્ઠા ક્રમાંકમાં આવતા હતા.

એમની જીભ પર સરસ્વતીનો વાસ હતો. ચરણોમાં લક્ષ્મીનો વાસ હતો. મસ્તકે જિનાજ્ઞાનો વાસ હતો. હૃદયમાં અરિહંતનો વાસ હતો. માન-સન્માનથી અલિપ્ત રહ્યા. અપમાન તિરસ્કારથી પણ ચલિત ન થયા. આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિજીમાં એવી તાકાત અને ખુમારી હતી કે સત્યની રક્ષા ખાતર એક બાજુ આખી દુનિયા હોય અને બીજી બાજુ પોતે એકલા હોય તો ટસના મસ ન થાય. જે સમયે મુનિશ્રી

રામવિજયજીની દીક્ષા થઈ ત્યારે આખા શ્વેતાંબર જૈન સંઘમાં માંડ દોઢસો સાધુઓ હતા. સં. ૨૦૪૭ના અષાઢ વદ ચૌદસે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંપ્રદાયમાં સાધુ-સાધ્વીજીની સંખ્યા છ હજાર પર પહોંચી ગઈ હતી. આમાંથી અઢીસો સાધુઓ(૧૨૧ શિષ્યો) અને પાંચસો સાધ્વીઓ તો આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીના પોતાના સમુદાયમાં હતા. અત્યારે તપાગચ્છના આશરે ૧૦૦૦૦ જેટલા સાધુ-સાધ્વીજીમાં માત્ર એમના જ નામથી ઓળખાતા સમુદાયમાં રહેલા સાધુ-સાધ્વીજીની સંખ્યા ૨૦૦૦ ઉપર થાય છે.

દીક્ષાનો માર્ગ એટલો સરળ બનાવવામાં અને લોકોનાં હૃદયમાં સ્વીકારવા જેવો છે એવું ઠસાવવામાં સૌથી મોટો ફાળો આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીએ આપ્યો છે, એ વાત તેમના વિરોધીઓ પણ સ્વીકારે છે. તેઓ સદાય નિર્લેપ હતા. નિર્ભય હતા. દીર્ઘદર્શી હતા. વડોદરા નજીકના પાદરા ગામનો વતની બાળ ત્રિભુવન કઈ રીતે તપાગચ્છાધિપતિ બન્યો, એની એક લાંબી કહાણી છે. ખંભાત પાસે આવેલું દહેવાણ ગામ ત્રિભુવનનું મોસાળ. અહીં જ તેનો

જન્મ.

ત્રિભુવનને લઈ સુવાવડ માટે પિયર ગયેલી તેની માતા વતન પાદરા પાછી ફરી, તો સમાચાર મળ્યા કે પિતાશ્રીનું અવસાન થઈ ગયું છે. બાળ ત્રિભુવનના નસીબમાં પિતાનું મુખડું જોવાનું લખાયું જ નહોતું. સાત વર્ષની ઉંમરે

માતાએ પણ સ્વર્ગની વાટ પકડી. હવે તેના લાલનપાલનની જવાબદારી પિતાશ્રીનાં દાદીને માથે આવી.

રતનબાની ઉંમર એ વખતે ૮૦ વર્ષની હતી. અત્યંત ધર્મનિષ્ઠ અને પાપભીરુ સ્વભાવ. રતન બાએ ત્રિભુવનના કાનમાં બાળપણથી જ ફૂંક મારી કે દીકરા તારે મોટા થઈ સાધુ બનવાનું છે. રતન બાની સતત પ્રેરણા સિંચાતી રહેતાં ત્રિભુવને પણ મનોમન દીક્ષા લેવાનો દૃઢ નિર્ધાર કરી લીધો. ચાર વર્ષની ઉંમરથી જ પ્રતિક્રમણ-ઉકાળેલું પાણી તેમજ આગળ જતાં ‘દીક્ષા જ લેવા જેવી છે'ની શિખામણ સાથે ‘દીક્ષાર્થે ઘેબરનો ત્યાગ' જેવા નિયમો પણ એ રતનબાએ અપાવેલ. પાદરાના જ્ઞાનભંડારનાં તમામ ગુજરાતી પુસ્તકો એ વાંચીને પચાવી ગયા હતા.

ત્રિભુવનનો મોટા ભાગનો સમય ઉપાશ્રયમાં જ વીતતો. ગામમાં કોઈ પણ સાધુ, સાધ્વીજીનું આગમન થવાનું હોય, તો ત્રિભુવન તેમને લેવા જાય, મૂકવા જાય અને ભિક્ષા માટે ઘરો બતાવવા પણ સાથે ફરે. આ રીતે અનેક સાધુઓની આંખમાં ત્રિભુવન વસી ગયો. નાનપણથી જ બુદ્ધિપ્રતિભા એવી ઝગારા મારે કે એ વખતના એક મહાન જૈનાચાર્યે તેને દીક્ષા આપવાની તત્પરતા બતાવતા તો ત્યાં સુધી કહ્યું હતું કે જો તું મારી પાસે દીક્ષા લઈશ તો તને વહેલામાં વહેલી

આચાર્ય પદવી મળશે. પરંતુ એ વખતનો યુવાન ત્રિભુવન પણ એટલો નિઃસ્પૃહી હતો કે તેણે ઘસીને ના પાડી દીધી કે હું પદવી મેળવવા માટે દીક્ષા લેવા નથી માગતો. ત્રિભુવને જે ઘડીએ પોતાનો દીક્ષા લેવાનો નિર્ધાર જાહેર કર્યો ત્યારથી તેમના કુટુંબમાં તેની સામે વિરોધનો વાવંટોળ પેદા થયો. એ વખતના આખા સમાજની મનોદશા એવી હતી કે દીક્ષા લેવાય જ નહીં, સાધુ બનાય જ નહીં. કોઈ પણ સાધુ કોઈ પણ યુવાનને દીક્ષા આપવાની વાત કરે, એટલે તેણે જાણે કોઈ મોટો ગુનો આચરવાની તૈયારી કરી હોય, એ રીતે લોકો તેમના પર તૂટી પડતા. એ વખતે જે રતનબાએ બાળપણથી

ત્રિભુવનને પ્રેરણાનાં પીયૂષ પાયાં હતાં, તેઓ પોતે પણ આ દીક્ષા માટે સંમત ન

થયાં. પોતાના પ્રપૌત્ર માટેનો અત્યંત મોહ તેમને પીડી રહ્યો હતો. રતનબાએ એવી શરત કરી કે જ્યાં સુધી મારી આંખો મીંચાય નહીં, ત્યાં સુધી તારે દીક્ષા ન લેવી. તેના મામાએ ચાર જોડી નવાં કપડાં કરાવી આપીને કહ્યું કે આ કપડાં ફાટે ત્યાં સુધી તારે દીક્ષા ન લેવી. ત્રિભુવને જવાબ આપ્યો કે કપડાં જો ફાડવાં જ હોય તો અબ ઘડી કાતરથી ફાડી આપું. તેના કાકાએ કહ્યું, જો તું દીક્ષા ન લે તો મારી ધમધોકાર ચાલતી પેઢીનો તને ભાગીદાર બનાવું. ત્રિભુવને કહ્યું,” ભગવાન મહાવીરે સ્થાપેલી પેઢીના માલિક

થવા મળતું હોય ત્યાં તમારા ભાગીદાર બનવામાં કોને રસ પડે!” દીક્ષા લેવાનું નક્કી હતું, પણ ગુરુની શોધ ચાલુ હતી. એ અરસામાં જ વિદ્વાન પંન્યાસશ્રી દાનવિજયજીનું પાદરામાં ચાતુર્માસ થયું. તેમના સંપર્કમાં આવતા જ ત્રિભુવનને પ્રતીતિ થઈ ગઈ કે દીક્ષા લેવી તો અહીં જ લેવી.

એક વાત હજી નડતી હતી. વડદાદી રતનબાનો એવો આગ્રહ હતો કે મારા મરણ પછી જ ત્રિભુવને દીક્ષા લેવી. આ વાત સાંભળી મુનિશ્રી પ્રેમવિજયજીએ ત્રિભુવનને એક સવાલ કર્યો કે, તને ખબર છે ખરી કે પહેલાં કોનું મરણ થવાનું છે ? આ સવાલ ત્રિભુવનને હૃદય

સોંસરવો ઊતરી ગયો અને તે દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. પ્રેરણાદાતા પંન્યાસશ્રી દાનવિજયજીની સૂચનાથી જ ત્રિભુવન મુનિશ્રી પ્રેમવિજયજીના શિષ્ય બન્યા. તેમના કાકાએ વડોદરાના અખબારોમાં એવી જાહેરખબર છપાવી કે જે કોઈ ત્રિભુવનને દીક્ષા અપાવશે, તેણે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આવી સ્પષ્ટ ધમકી છતાં એ વખતના પંન્યાસશ્રી દાનવિજયજી અને તેમના શિષ્ય

મુનિશ્રી પ્રેમવિજયજીએ ત્રિભુવનને ગુપ્ત દીક્ષા આપવાનું નક્કી કર્યું. ત્રિભુવનનું મુનિશ્રી રામવિજયજીમાં રૂપાંતર થયું. તેમના ગુરુ મુનિશ્રી પ્રેમવિજયજીહતા, પણ દીક્ષા આપવા તેમને બદલે મુનિશ્રી મંગળવિજયજી નામના સાધુ આવ્યા હતા. દીક્ષાવિધિ ગંધાર તીર્થમાં એવા સંજોગોમાં થઈ કે બાજુના ગામમાંથી મુંડન માટે બોલાવેલો હજામ આવી પહોંચે, ત્યાં સુધીમાં તો ખુદ મુનિશ્રી મંગળવિજયજીએ અડધુ

મુંડન કરી નાખ્યું હતું. વિનય, વેયાવચ્ચ, જ્ઞાનસાધના, સમ્યગ્દર્શનની ઉપાસના, ઉત્તમ સંયમપાલન વગેરે ગુણસમૃદ્ધિ દ્વારા પોતાના ગુરુદેવ-પ્રગુરુદેવ અને પ્રપ્રગુરુદેવ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજય દાનસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજય કમલસૂરિજીમહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી હતી. તર્કશક્તિ કર્કશ હતી. પ્રચંડ પ્રતિભાના સ્વામી હતા. અપૂર્વ વિનય, અપૂર્વ વેયાવચ્ચ અને અપૂર્વ જ્ઞાનસાધનાની ધૂણી ધખાવી દીધી. દીક્ષાના પ્રથમ વર્ષે જ યોગ્યતા જોઈ ધર્મદેશના આપવાની જવાબદારી સોંપવામાં આવી.. ખૂબ જ ટૂંક સમયમાં

ગીતાર્થ બન્યા. વડીલોની કૃપાના અનેરા પાત્ર બન્યા અને શાસન રક્ષાનાં મહત્ત્વનાં કાર્યોની જવાબદારી વડીલોએ એમના વૃષભ સ્કંધો ઉપર મૂકી. એમણે પણ સુપેરે એ નિભાવી. પરિણામે માત્ર સાત જ વર્ષના પર્યાયે ખંભાતમાં થયેલ મુનિ સંમેલનમાં સક્રિય ભાગ લીધો. પોતાની દીક્ષા આડે ઊભા થયેલા પારાવાર અંતરાયોના અનુભવ પરથી મુનિશ્રી રામવિજયજીએ મનોમન ગાંઠ વાળી કે દીક્ષાની બાબતમાં લોકોના

હૃદયપરિવર્તનની જરૂર છે. મુનિશ્રી રામવિજયજી

જ્યાં પણ પ્રવચન કરે, ત્યાં તેમનાં પ્રવચનો સાંભળવા હજ્જારોની મેદની એકત્ર થવા લાગી. વ્યાખ્યાનમાં પણ તેઓ સોય ઝાટકીને એક જ વાત કરે કે સંસાર સાવ ભૂંડો છે, અસાર છે, છોડવા જેવો છે અને સાધુ બનવા જેવું છે. આઠ વર્ષના બાળકથી લઈ ૭૦ વર્ષના વૃદ્ધને પણ દીક્ષા આપતાં પણ તે પેહલા તેઓને આકરી કસોટીમાંથી પસાર કરતા. તેમને ખાતરી થાય કે તે સાધુજીવન અને બ્રહ્મચર્ય બરાબર પાળી શકશે તો જ દીક્ષા આપતા. બરાબર કસોટી

માટે એક વર્ષ પોતાની સાથે વિહારમાં રાખતા. કોઈ એમ માનતું હોય કે, જે આવે તેને મૂંડી નાખવા

આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી તૈયાર રહેતા, તો આ ભૂલભરેલી માન્યતા છે. અમદાવાદના ભદ્રકાળીના મંદિરમાં એ કાળે નવરાત્રિના દિવસોમાં બોકડાનો વધ કરવાની ક્રૂર પ્રથા અમલમાં હતી. ધર્મના નામે ચાલતી આ હિંસાથી અનેક લોકો

વ્યથિત તો હતા, પણ તેની સામે અવાજ ઉઠાવવાની કોઈમાં હિંમત નહોતી. એ વખતે મુનિશ્રી રામવિજયજીનું ચાતુર્માસ અમદાવાદમાં હતું અને તેમનાં જોરદાર પ્રવચનો ચાલી રહ્યાં હતાં. પ્રવચન સાંભળવા આવતા કેટલાક જૈનેતરોએ જ મુનિશ્રી રામવિજયજીને વિનંતી

કરી કે આ હિંસા અટકે તો સારું. મુનિશ્રી રામવિજયજીએ ભદ્રકાળીના પૂજારીને બોલાવી ખૂબ સમજાવ્યો, પણ તે વધ બંધ કરવા તૈયાર ન થયો. પછી તો મુનિશ્રી રામવિજયજીએ અમદાવાદની પોળેપોળમાં સભાઓ ભરવા માંડી અને લોકોમાં આ હિંસા

સામે વિરોધનો જુવાળ જગાવ્યો. પંન્યાસશ્રી પ્રેમવિજયજી અને તેમના શિષ્ય મુનિશ્રી બાળદીક્ષાના પ્રશ્ને સુધારક જૈનો જ્યારે રામવિજયજીના આ કાર્યમાં અમદાવાદના મુસ્લિમો પણ સાથે થઈ ગયા. અમદાવાદના અંગ્રેજ કલેક્ટર હાર્ટ શોર્નને ભય લાગ્યો કે જો આ આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી લેશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી જશે. જૈન સંઘના અગ્રણીઓને તેમણે સંદેશો મોકલ્યો કે, એક વખત આવીને મળી જાઓ. શ્રેષ્ઠીઓ કલેક્ટર હાર્ટ શોર્નની કચેરીમાં પહોંચ્યા. અહીં કલેકટરે પૂજારીને પણ બોલાવી રાખ્યો હતો. અગ્રણી શ્રાવકોની હાજરીમાં ક્લેકટરે પૂજારીને બલિ બંધ રાખવા માટે સમજાવવાની ખૂબ કોશિષ કરી જોઇ પણ તે એકનો બે ન થયો. તેના માટે પણ હવે આ વટનો સવાલ બની ગયો હતો. બોકડાનો વધ નવરાત્રિના દિવસોમાં આસો સુદ આઠમે થતો હતો. તે રોકવા ૫૦,૦00 માણસોનો એક મોરચો ભદ્રકાળીને મંદિરે પહોંચી ગયો. અંદર છુપાઈ ગયેલા

પૂજારીને સંદેશો કહેવડાવ્યો કે બકરો અમને સોંપી દે, નહીં તો તારું આવી બનશે. ગભરાયેલા પૂજારીએ બકરો તો સોંપી દીધો, પણ સાથે એવું વચન આપ્યું કે હવેથી આ હિંસા કાયમ માટે બંધ થઈ જશે. આનંદિત થયેલા ટોળાએ પછી એ બકરાને શણગારીને તેનું વિજય સરઘસ કાઢયું અને આખા અમદાવાદમાં ઉત્સવ મનાવ્યો. ત્યારબાદ અમદાવાદમાં વ્યસન મુક્તિ અંગેનાં વ્યાખ્યાનોથી ચા જેવાં દૂષણોનો ત્યાગ કરાવી હોટેલોને તાળાં લાગી જાય તેવી ભૂમિકા સર્જી. સ્વ. ગચ્છાધિપતિશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી એટલા માટે મહાન હતા કે ભલભલા વિરોધના વાવંટોળ વચ્ચે પણ તેમણે પોતાની સાચી વાત રતીભાર પણ છોડી નથી. અને સાથે સાથે એક વાત તેઓ હંમેશાં સ્પષ્ટ કહેતા કે મારી કોઈ પણ વાત જો ભગવાન મહાવીરના ઉપદેશથી વિરુદ્ધ જતી હોય તો મને બતાડો, હું જાહેરમાં માફી માગવા તૈયાર છું. બાળદીક્ષાના પ્રશ્ને સુધારક જૈનો જ્યારે

મુનિશ્રી રામવિજયજીની સામે પડી ગયા ત્યારે વાતાવરણ ખૂબ ઉગ્ર હતું. સુધારકોમાં જેટલું ઝનૂન હતું, તેનાં કરતાં બમણી ખુમારી મુનિશ્રી રામવિજયજીના ભક્ત શ્રાવકોમાં હતી. દીક્ષાના વિરોધીઓ પણ એટલી હદ સુધી આવી ગયા હતા કે મુનિશ્રી રામવિજયજીને માર્ગમાંથી દૂર કરવા તેઓ જાતજાતની જાસા ચિઠ્ઠીઓ મોકલતા. અમુકમાં ખૂનની ધમકીઓ પણ જોવા મળતી. આ પરિસ્થિતિમાં ભલભલા મક્કમ સાધુ પણ ઠંડા પડી જાય. ખુદ મુનિશ્રી રામવિજયજીના ભક્તો અને શુભેચ્છકો તેમને સમજાવતા કે દીક્ષા માટેનો આ આગ્રહ છોડી દો. મુનિશ્રી રામવિજયજી કહેતા કે આ

લોકોની માંગણીઓ સામે આપણે એકવાર ઝૂકી જઈએ તો કાયમ માટે તેમની ખોટી વાત પ્રસ્થાપિત થઈ જાય અને સો ટચના સોના જેવું સત્ય માર્યું જાય. ખૂનખાર વિરોધીઓ ગમે તે ક્ષણે મુનિશ્રી રામવિજયજીને પતાવી દે, એવો પણ ડર પેદા થયો હતો. આ કારણે તેમના દાદાગુરુ આચાર્યશ્રી વિજયદાનસૂરિજી મહારાજ ખૂબ જ સજાગ રહેતા. એ દિવસોમાં મુનિશ્રી રામવિજયજીનો ઉતારો ક્યાં છે, તેઓ કયા આસન પર બેસવાના છે, કઈ જગ્યાએ સૂવાના છે, તેની કોઈને ખબર ન રહેતી. રાતના પણ દર કલાકે તેમનો સંથારો બદલવામાં આવતો

ત્યારે ઘણા ભક્તોને એવો પણ ડર સતાવી રહ્યો હતો કે મુનિશ્રી રામવિજયજીને ભિક્ષામાં કોઈ ઝેરી પદાર્થ ખવડાવીને તેમનું કાસળ કાઢી નાખવામાં ન આવે. આ ભય નાબૂદ કરવા તેમના વફાદાર શિષ્ય મુનિશ્રી ચારિત્રવિજયજી કાયમ તેમની સાથે રહેતા. તેમની ગુરુભક્તિ

અજોડ હતી. પોતાના ગુરુને આહાર માટે કંઈ પણ આપતા અગાઉ થોડો ખોરાક તેઓ પોતે જ આરોગતા, અડધો કલાક સુધી પોતાના શરીર પર કોઈ વિપરીત અસર ન થાય તો જ મુનિશ્રી રામવિજયજીને તે આહાર આપતા. મુંબઈ જેવી નગરીમાં પધારી

સુધારાવાદ સામે આહલેક જગાડી પ્રાચીન સર્વજીવ હિતકારી પ્રભુઆજ્ઞાની રક્ષા કરી. બાળદીક્ષા, યુવાદીક્ષા, વૃદ્ધદીક્ષા, સ્ત્રીદીક્ષાના માર્ગને નિષ્કંટક બનાવીને, દીક્ષાધર્મને સુલભ બનાવ્યો. જેના પરિણામે જ આજે કોઈ પણ ગચ્છમાં- કોઈ પણ સંપ્રદાયમાં અત્યંત સુલભતાથી દીક્ષાઓ થવા લાગી છે. વ્યાખ્યાનમાં અપાતા ઉદાહરણો રોજિંદી સીધી-સાદી નજર આગળની નિત્ય અનુભવનાં અને આપણે ન કલ્પી હોય એવી નાની બાબતોનાં હોય છે. છતાં તેને એવી સિફતથી તર્કશાસ્ત્રની ખૂબી સાથે રજૂ કરવામાં આવે કે આચાર્યશ્રીએ

ઘટાવેલો તેનો અર્થ હજાર વાર જોયા છતાં આપણને ભાગ્યે જ સૂઝ્યો હોય. ‘સભા જેની મૂંગી એ વક્તા અધૂરો’- આ માનનાર વક્તા કયો ચમત્કાર ન કરી શકે! આચાર્યશ્રીએ પોતાને માથે વહોરી લીધેલ આ ફરજ મુશ્કેલ છતાં કેટલી સુંદર છે ! આચાર્યશ્રીની આ સુંદર કળા જાણનારા શ્રોતાઓ પૈકી કેટલાકને પ્રસંગોપાત ટીખળી બનવાનું મન થાય છે. અને તેઓને મોંમાં આંગલાં ઘાલી બોલાવીને, અને પછી બોલીમાં બાંધીને તેમને ખબરેય ન પડે એ રીતે

દલીલના દાવપેચથી મહાત કરી પોતાની હાર

કબૂલ કરાવવાની વિશિષ્ટ હથોટી પૂ. આચાર્યશ્રી જેવી બીજા કોઈને ભાગ્યે જ હશે! ગૂંચવણો પૂછતાં તેનો ઉકેલ પણ સત્વર અને પ્રતીતિજનક હાજરજવાબરૂપે મળી રહે છે, જાણે કે મહારાજશ્રી ભવિષ્યવેત્તાની માફક આગળથી જ જાણી

બેઠા હોય કે આપણે શું સવાલ પૂછવાના છીએ! તેઓશ્રીની ગંભીરતા અને ગીતાર્થતા એવી વિરલ અને અગાધ હતી કે અનેક મોટા સ્વ-પર સમુદાયના આચાર્યો પણ

એમની પાસે પોતાની આલોચના કરી પ્રાયશ્ચિત્ત લેતા હતા. કચ્છથી કલકત્તા અને દિલ્હીથી દક્ષિણ દેશ સુધી તેઓ વિચર્યા હતા. ગુજરાત, મારવાડ, મેવાડ, માલવા અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, કર્ણાટક એમની પદરજથી પાવન બન્યા હતા. જ્યાં જ્યાં તેઓ વિચર્યા ત્યાંની પ્રજા ધર્માભિમુખ બની હતી. જ્યાં જ્યાં તેઓએ પાદાર્પણ કર્યું, ત્યાંના દરેક જિનાલયની દરેકે દરેક પ્રતિમાજીને ત્રણ ખમાસમણપૂર્વક (જૈનોની વિશિષ્ટ વંદનવિધિ) તેઓએ વંદન કર્યાં હતાં.

ધર્મના આરાધકો માટે તેમની આંખમાં અમી હતું અને ધર્મધ્વંસકો માટે એમની આંખમાં સદાય

આગ પ્રજ્વલિત રહેતી. તેથી જ ધર્મધ્વંસકો પ્રત્યે એમનો પ્રકોપ રૂદ્ર જેવો હતો. શાસન સામે આવતા કોઈપણ આક્રમણ સામે તેઓ એક અદમ્ય સેનાનીની જેમ ટટ્ટાર થઈ રહેતા, પ્રાણાંત ઝઝૂમતા હતા અને છેવટે શાસનને નિર્ભય બનાવતા હતા. જાત સામે આવતાં આક્રમણો-પ્રહારોને તેઓ ક્ષમાપૂર્વક ખમી ખાતા હતા, ક્યારેય એનો તેઓ પ્રતિકાર કરતા ન હતા. સ્વ.આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિજીની મહાનતા અનેક પ્રશ્ને તેમણે આપેલી લડાઈઓમાં ન હતી,

પણ આ લડાઈને અંતે પણ પોતાના વિરોધીઓ માટે તેમનામાં જોવા મળતા મૈત્રીભાવમાં હતી. સિદ્ધાંત માટે લડવાનું, પણ વ્યક્તિ માટે જરા પણ દ્વેષ નહીં. આને કારણે આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિજીના વિરોધીઓ પણ તેમને આદર આપતા. કદી કોઈએ તેમના આશય કે ચારિત્ર્ય માટે શંકા ઉઠાવી નથી. જે આચાર્ય સાગરાનંદસૂરિજી સાથે તિથિપ્રશ્ને આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિજી કાયમ માટે સંઘર્ષમાં આવ્યા, પણ તેઓ સુરતમાં બીમાર હતા ત્યારે સ્વ.ગચ્છાધિપતિશ્રી સામે ચાલીને તેમના ખબરઅંતર પૂછવા અને ક્ષમાપના કરવા ગયા

હતા. કાળધર્મના બે વર્ષ અગાઉ વડોદરા ખાતે

સ્વ. આચાર્યશ્રીની તબિયત અત્યંત ગંભીર થઈ ગઈ હતી. ભક્તોને તો થયું કે તેમની છેલ્લી ઘડી આવી પહોંચી, પરંતુ આ કસોટીમાંથી સ્વસ્થ થઈને બહાર આવ્યા પછી કોઈકે તેમને પૂછ્યું : માંદગી દરમિયાન આપ શું વિચારતા હતા ? મૃત્યુનો નજીકથી અનુભવ કરી ચૂકેલા ગચ્છાધિપતિએ કહ્યું, “મૃત્યુ પછી જો દેવ થઈશ તો સીમંઘર સ્વામી તીર્થંકરની સેવા કરીશ અને મારા વિરોધીઓ જ્યાં હોય ત્યાંથી તેમને શોધી કાઢી ધર્મ પમાડીશ.” આવી હતી સ્વ. આચાર્યશ્રીની પોતાના વિરોધીઓ માટેની કરૂણા! તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યો પૈકી ૪૦ થી ય વધુ મહાત્માઓ તો છેક આચાર્યપદ

સુધી પહોંચી પ્રભુ શાસનની આરાધના, પ્રભાવના, સુરક્ષા કરનારા બન્યા છે. લાખોની સંખ્યામાં જૈનો તેઓશ્રીને પરમગુરુ તરીકે માને છે અને અનેક અજૈનોએ એમને પોતાના હૃદયમાં સ્થાપિત કરેલા છે. વિ. સં. ૧૯૯૦ના અમદાવાદ મુનિ સંમેલનમાં સમગ્ર પક્ષ તરફથી રજૂઆત કરવા માટે વડીલ આચાર્યો દ્વારા તેઓશ્રીની નિમણૂંક કરાઈ હતી. એ એમની ક્ષમતા, દૂરંદેશીતા અને ગીતાર્થતાની પ્રતીતિ કરાવે છે. તદુપરાંત દેવદ્રવ્યના સિદ્ધાંતની પણ એમણે રક્ષા કરી છે. જૈન રામાયણનાં જાહેર પ્રવચનોની શરૂઆત કરનાર આ મહાપુરુષ જ છે. જૈન-

જૈનેતરોથી હકડેઠઠ માનવ મેદનીમાં જૈનોના એક પણ મૂળભૂત સિદ્ધાંતને ગૌણ કર્યા વિના અને અજૈનો પણ સહેલાઈથી સમજી અને સ્વીકારી શકે એવી પરિભાષા દ્વારા એમણે કરેલાં એ વ્યાખ્યાનો અમદાવાદના અગ્રગણ્ય દૈનિકો, સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલછાબ, જયહિંદ, ગુજરાત મિત્ર આદિમાં સતત છપાતાં હતાં, એ એમના સમાજ ઉપરના પ્રભાવનું દ્યોતક છે. ગંધાર, પાવાપુરી, હસ્તગિરિ, અર્બુદગિરિ જેવાં મહાતીર્થોના એ પ્રતિષ્ઠાપક હતા. સેંકડો પ્રતિષ્ઠા- અંજનશલાકાદિ મહોત્સવો

તેમજ હજારો જિન પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા કરવા દ્વારા શ્રીસંઘને અત્યંત ઉપકારી આલંબન તેઓશ્રીમદે પૂરું પાડ્યું છે. મોટા-મોટા રોગોના હુમલા વચ્ચે, ગંભીર માંદગી અને શારીરિક અશાતા વચ્ચે તેઓ અદ્ભુત સમાધિ રાખી શકતા. એમની માંદગીને નજીકથી નિહાળનાર હરકોઈ મુક્ત કંઠે એમની સહનશીલતા ઉપર ઓવારી જતા. માંદી વ્યક્તિ-મરણપ્રાયઃ થયેલ વ્યક્તિ અને શારીરિક-માનસિક વ્યાધિથી પિડાતી વ્યક્તિઓને આશ્વાસન દ્વારા સમાધિ આપવાની કુશળતા તેઓશ્રીની અદ્વિતીય

હતી.

અનેક આત્માઓને અંતિમ સમાધિદાન કરીને તેઓશ્રીએ પોતાની સમાધિ સુસ્થિર બનાવી હતી. મરણ સમાધિ

પયન્નાઆગમનુંરસપાન કરીને સમાધિભાવને ખૂબ જ પુષ્ટ-પરિપુષ્ટ બનાવ્યો હતો. અષાઢ વદ ચતુર્દશીનો દિવસ હતો. તે દિવસે તેઓએ ચારેય આહારનો ત્યાગ કર્યો હતો. દિવસનો પ્રથમ પ્રહર પૂર્ણ થઈને બીજા પ્રહરનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. તેવા સમયે શ્રી અરિહંત પદના ધ્યાનમાં ચિત્તને એકાગ્ર કરીને સમાધિના ઉત્તુંગ શિખરોનું આરોહણ કરતાં-કરતાં

ચારેય પ્રકારના શ્રી સંઘથી સેવાતાં સેવાતા શ્રી સંઘના મુખે નિકળતાં શ્રી ‘અરિહંત' પદના ધ્વનિનું શ્રવણ કરતાં કરતાં કાળધર્મને વર્યા હતા. જેમની અંતિમયાત્રામાં લાખો ભાવિકો જોડાયા હતા એ અંતિમયાત્રા રાજનગરના રામનગર વિભાગમાં પૂર્ણાહુતિ

પામતા ‘રામનગર એ સાચા અર્થમાં રામનગર’ બન્યું હતું. એમની ધર્મસાધના, આંતરિક ઉદારતા, પ્રચંડ વાત્સલ્ય, મહાકરુણા, પરાકાષ્ટાની સુજનતા, સાલસતા, સહૃદયતા, ગંભીરતા, પરાર્થકરણ, પરમાર્થસાધના, પ્રવચનકુશળતા,

ધર્મપ્રભાવકતા, બોધની નિર્મળતા, પદાર્થની પારદર્શિતા, તીવ્ર વેધકતા, વાત્સલ્યસભરતા, સમ-શત્રુમિત્રતા, માનાપમાનસમાનતા, અંતર્મુખતા, સૂક્ષ્મદૃષ્ટિ, સતર્કતા, મહાનતા, આરાધકતા, પ્રભાવકતા વગેરે અગણિત ગુણો

અને આ બધા ગુણોના સથવારે તેઓશ્રીએ જગત ઉપર કરેલા પરમ ધર્મોપકારને યાદ કરવા માટે ય વોલ્યુમોના વોલ્યુમ ઓછા પડે એવા એ મહાપુરુષ હતા.

About Us

At Lezada, we put a strong emphasis on simplicity, quality and usefulness of fashion products over other factors. Our fashion items never get outdated. They are not short-lived as normal fashion clothes.

(+00) 123 567990

Wishlist

Cart

Added to wishlist.